Rashtriya Kutoomb Sahay Yojana :રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના(નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ) 2024

(A)કોને લાભ મળી શકે?

  1. સહાય ની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
  2. કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ.
  3. મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ .
  4. મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

(B) અરજી આપવાનું સ્થળ

  1. સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

(C) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

  1. મુત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર
  2. મુત્યુ પામનાર વ્યક્તિના ઉમરનો પુરાવો.
  3. ગરીબી રેખાની યાદી પર નામ હોવાનુ પ્રમાણપત્ર
  4. રેશનકાર્ડની નકલ
  5. બેંક એકાઉન્ટ

(D) યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  1. કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ.૨૦,૦૦૦/- ની સહાય એક વખત આપવમાં આવે છે.

(E) સહાયની ચુકવણી

  1. ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

(F) અરજી પત્રક ક્યાંથી મળશે.

  1. જિલ્લા કલેકટર કચેરી.
  2. મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  3. ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  4. નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  5. મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

(જી) યોજનાનું અમલીકરણ

  1. સબંધીત મામલતદાર કચેરી.

(એચ) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

  1. નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

Leave a comment