આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2024 \\Adarsh Nivasi Shala admission 2024

Adarsh Nivasi Shala admission 2024

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2024:

 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્‍યમિક તેમજ ઉચ્ચત્તર માધ્‍યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિકના અભ્યાસક્રમવાળી)  કાર્યરત છે. 

આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઇચ્‍છતા નવા વિદ્યાર્થીઓએ અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે  તા.૮/૫/૨૦૨૪ થી તા.૭/૬/૨૦૨૪ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

  • આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯ થી ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
  • જે-તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધો.૯ અને ધો.૧૧ ના જુના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધો.૧૦ અને ધો.૧૨ માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો જ ધો.૯ થી ધો.૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
  • ધો.૧૦ ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ ધ્વારા માર્કશીટ ઈશ્યુ કર્યા બાદ ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ જે ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોઇ તેના પાછળના ધોરણની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
  • કન્યાઓના કિસ્સામાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
  • અનુ. જાતિ, અનુ. જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો , તેમજ અપંગ, વિધવા તથા ત્‍યક્તા બહેનોના બાળકોના કિસ્‍સામાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
  • Adarsh Nivasi Sala oma parvesh 2024
  • વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૬ લાખ થી વધુ  ન હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
  • આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%, અનુસૂચિત જાતિ માટે ૧૨.૫%, અને અનુસૂચિત જન જાતિ માટ ૧૨.૫% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
  • આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્‍લા નાયબ નિયામકશ્રી/જિલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.

  • ઓનલાઇન અરજી કરેલ વિદ્યાર્થીએ ઓનલાઇન અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડકોપી જે-તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા જિલ્લા નાયબ નિયામકશ્રી(વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(વિ.જા)ની કચેરીમાં જમા કરાવવાની રહેશે. હાર્ડકોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે. આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડી તા.૦૯/૦૬/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. હાર્ડકોપી જમા ન કરાવનારની અરજી મંજૂરી પ્રક્રિયામાં કે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે નહિ, તેની તકેદારી રાખવી.

  • સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર અરજી મંજૂર કરીને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
  • પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ સમયાંતરે ઉક્ત વેબસાઈટ જોવાની રહેશે.
  • શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી, અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં.
  • મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગરિયાના વાલીના બાળકો માટે કુમાર માટેની (૧) રાજુલા, જિ.અમરેલી (૨) ભચાઉ, જિ.કચ્છ (૩) ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર (૪‌) મોરબી અને કન્યા માટે (૫) સુરેન્દ્રનગર ખાતે મળી કુલ ૦૫ અગરિયાની આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે.
  • શાળાની યાદી નીચે મુજબ છે.ઉપર ઉપલબ્ધ છે.
  • કુમાર માટેની આદર્શ વનિાસી શાળાઓ : LINK
  • કન્યા માટેની આદર્શ વનિાસી શાળાઓ : Link
  • વધારે મહિતિ : https://esamajkalyan.gujarat.gov.in/NewsAndNotification.aspx

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
  • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
  • શાળા છોડયા નું પ્રમાણ પત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)
  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

નોધ:Adarsh Nivasi Shala admission પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

1 thought on “આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2024 \\Adarsh Nivasi Shala admission 2024”

Leave a comment