મિત્રો, આપણે મગજની યાદશક્તિ વધારવા માટે સામાન્ય રીતે બદામ ખાવાની સલાહ આપતા હોઈએ છીએ. ખાસ કરીને બદામ મગજ માટે હેલ્દી છે, પરંતુ આ સિવાય પણ ઘણા એવા શાકભાજી છે જેમના સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય અને યાદશક્તિ સુધરી શકે છે. આવા શાકભાજી માં રીંગણાનો સમાવેશ કરી શકાય છે. કહેવાય છે કે, રીંગણાનું સેવન તમારું માનસિક સ્વાસ્થ્ય મજબૂત રાખે છે અને સ્વાસ્થ્યના અનેક અન્ય લાભો પણ આપે છે. તો ચાલો, આ લેખમાં આપણે રીંગણાના સેવનથી થતા કેટલાક ફાયદા વિશે જાણીએ.

આ પણ વાંચો
- ગેસ, એસિડીટી, એસિડ અને પેટની જીવાત થશે જડમૂળથી 100 % ગાયબ, કરો આ મફતમાં મળતી ઔષધિનું સેવન… શરીરના અનેક રોગો સાથે લોહી પણ કરી દેશે સાફ…
- બારમાસી ના ફાયદા | બારમાસી નો ઉપયોગ | બારમાસી ફૂલ ના ફાયદા |
- માત્ર 1 દિવસમાં જ હાથ, પગ અને સાંધાના દુઃખાવા થઈ જશે દુર, યુરિક એસિડથી થતા સાંધાના દુઃખાવાનો જોરદાર દેશી ઉપાય…
રીંગણાંને શાકભાજીનો રાજા માનવામાં આવે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે અને ઓસ્ટીયોપોરોસિસને અટકાવવામાં પણ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે હૃદયના આરોગ્ય માટે લાભદાયક છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સહાયક છે. રીંગણમાં ફાઇબર, વિટામિન એ, બી, સી, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે આપણા આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે.
જાણકારી અનુસાર, રીંગણમાં એંથોસાઈનીન અને નાસૂનીન જેવા પોષક તત્ત્વો હોય છે, જે મગજની કેશિકાઓને મુક્ત કણો દ્વારા થનારા નુકસાનથી બચાવે છે. તે ન્યૂરોઇન્ફ્લેમેશનને ઘટાડવામાં અને મગજમાં લોહીનો પ્રવાહ સુધારવામાં મદદરૂપ છે. જેના કારણે મેમરી લોસ અને ઉંમર સાથે સંબંધિત માનસિક બીમારીઓને અટકાવવામાં ફાયદો થાય છે. રીંગણ ફાઇટોન્યુટ્રિએન્ટ્સનો પણ ઉત્કૃષ્ટ સ્ત્રોત છે, જે માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. આ કારણે તેને “બ્રેન ફૂડ” તરીકે ઓળખવામાં આવે છે. રીંગણમાં રહેલું પોટેશિયમ વેસોડિલેટર તરીકે કાર્ય કરે છે અને મગજ માટે બુસ્ટરનું કામ કરે છે.

રીંગણમાં રહેલ ફેનોલીક તત્વ ઓસ્ટીયોપોરોસિસ બીમારીને અટકાવવામાં અને બેન્સની ઘનત્વતાને વધારે છે. જેનાથી હાડકાંનું નિર્માણ સારું થાય છે. રીંગણાંમાં કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાંને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તે સિવાય રીંગણાં ગ્લુકોમાના ઈલાજ અને પ્રબંધનમાં મદદ કરે છે. ઉંમર સંબંધિત મેકુલર અપઘટનને અટકાવે છે. આંધળાપણું અને દ્રષ્ટિ અંધત્વને અટકાવે છે. રેટીનામાં રક્તપ્રવાહમાં સુધારો લાવે છે. તાંત્રિકા કોશિકાઓની રક્ષા કરે છે. તે ત્વચાની સમસ્યાઓ અને કરચલીઓ તેમજ ધબ્બા વગેરેનો પણ ઈલાજ કરે છે.
રીંગણાં હાર્ટ માટે પણ ઘણા સારા હોય છે. તેમાં બાયોફ્લેવોનોઇડ્સ ઘણી માત્રામાં જોવા મળે છે જે બીપી ઘટાડવા માટે જરૂરી છે. તે હાર્ટ ફંક્શનમાં કોઈ પણ પ્રકારના તણાવને ઘટાડવા અને હાર્ટને હેલ્થી બનાવવાનું કામ પણ કરે છે. રીંગણાંમાં ક્લોરોજેનિક તત્વ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે
તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. વાસ્તવમાં, તેમાં ફાઈબર ઘણી માત્રામાં જોવા મળે છે અને ઘૂલનશીલ કાર્બોહાઈડ્રેડ ખુબ ઓછી માત્રામાં હોય છે. જેના કારણે રીંગણાં ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે સારું ભોજન ગણવામાં આવે છે. રીંગણાં શરીરના ગ્લુકોઝ અને ઇન્સુલિનને નિયંત્રિત કરવામાં અને શુગર સ્પાઇક્સને અટકાવવામાં મદદ કરે છે.
રીંગણાંની મદદથી વજનને પણ ઓછું કરી શકાય છે. તેમાં ઘણી ઉચ્ચ માત્રામાં પાણી હોય છે અને કેલોરી ઓછી હોય છે. જેનાથી તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એ સિવાય તેમાં રહેલ ફાઈબર ભૂખને શાંત કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રાખે છે. તે એલડીએલના સંચયને પણ ઓછું કરે છે, જેનાથી મેટાબોલીજ્મ સારું રહે છે.
આમ, રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્લડ શુગર ઘટાડવાથી લઈને હૃદયની સમસ્યાઓ પણ તેના સેવનથી કંટ્રોલ થઈ શકે છે. સાથે જ, ત્વચાની સમસ્યાઓ પણ રીંગણાના સેવનથી દુર થઈ શકે છે. વધુમાં, મગજના સ્વાસ્થ્યને સારું રાખવામાં પણ રીંગણા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
Very Nice 👍 and Very Good Mahiti / Information ℹ️. Useful to All whoever Eats Ringana / Brinjal. Aabhar. Thanks 👍